Wednesday, June 7, 2023

Buy now

ઉનાળાની અંદર એસિડીની સમસ્યા વધી જાય છે, પેટને સ્વસ્થ રાખવાના આ છે ઉપાયો

ઉનાળામાં પેટની સમસ્યા માટે આહારમાં ફ્રૂટ્સ, નાળીયેર પાણી વગેરે લેવા હિતાવહ છે. આ સાથે ડેરી પ્રોડક્ટ દહી, છાશ વગેરેના પણ અનેક ફાયદાઓ છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ગરમી પણ વધુ અસર કરી રહી છે. ગરમાવટ ભરેલા માહોલમાં ઉનાળો આપણા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ પણ બનતો હોય છે. તેમાં પણ ખાસ કરીને પેટની સમસ્યા પણ સ્કિન સહીતની સમસ્યાઓની જેમ જ થાય છે. તેમાં પણ ખાવા પીવાનું ધ્યાનના રહેતા, અપચો રહેતા એસિડિટી સહીતની સમસ્યાઓ વધી જાય છે.

ઉનાળામાં અપચાનો સામનો ના કરવો પડે તેના માટે ઘરગથ્થુ ઉપચારો અથવા એસિડિટીમાંથી રાહત મેળવવાના ઉપાયો જાણવા જરૂરી છે. પરંતુ એ પહેલા પણ જરૂરી આપણે આપણા આહાર પર કંટ્રોલ કરવો જરૂરી છે.  કારણ કે કેટલાક ખોરાક તમારા શરીરને ગરમ રાખે છે જેમાં ગેસ એસિટીડીથી આપણું પેટ પણ ફૂલે છે અને કાયમ માટે એસિડિટી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ઉનાળામાં પેટની સમસ્યાઓ સામે નાળીયેરનું પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં ફાયબરનું પ્રમાણ પણ ભરપૂર હોય છે અને તે નિયમિત આંતરડાને સ્વચ્છ રાખે છે એને આંતરડાની ગતિમાં પણ વધારો કરે છે અને એસિડિટીમાં પણ તેનાથી રાહત થાય છે. આ સાથે તરબૂચ પમ જરૂરી છે જે એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાઈબર હોય છે. એસિડ રિફ્લક્સ અને પેટની અન્ય બિમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સફરજન અને પપૈયા જેવા અન્ય ફળો પણ ફાઈબરના સારા સ્ત્રોત છે અને એસિડીટી રોકવામાં મદદ કરે છે. એસિડિટીનો સામનો કરવા માટે દૂધ એ બીજી શ્રેષ્ઠ રીત છે. દૂધ પેટમાં એસિડની રચનાને શોષી લે છે, ગેસ્ટ્રીક સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે અને કોઈ પણ હાર્ટ બર્ન એસિડ ઉત્પન્ન કરતી સમસ્યાને અટકાવે છે. એક ગ્લાસ સાદા ઠંડા દૂધનો ઠંડો ગ્લાસ પી શકો છો.

દૂધ ઉપરાંત હળવી વસ્તુ દહીં અને છાશ પણ એસિડિટીમાં રાહત આપે છે. આ પેટને ઠંડક આપે છે અને તેમાં રહેલા કુદરતી બેક્ટેરિયા એસિડને જમા થવા દેતા નથી. તેઓ સમગ્ર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જમ્યા પછી નિયમીત દહીં અને છાશ પણ આહારમાં લેવું ફાયદાકારક છે.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ