Wednesday, June 7, 2023

Buy now

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન મોદીએ 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બટન દબાવીને 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. યોજનાના દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઇ છે અને ખેડૂતોને મોંઘવારીમાંથી થોડી રાહત મળવાની આશા છે.

10મા હપ્તાથી વંચિત ખેડૂતોને 11મા હપ્તા સાથે મળશે રૂપિયા

જે ખેડૂતોને 10મા હપ્તાના નાણા મળ્યા નથી તેમને 10મા અને 11મા હપ્તાના રૂપિયા એકસાથે મળશે. જો કે તેના માટે એક શરત એ છે કે તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

જો રૂપિયા નથી મળ્યા તો આ છે હેલ્પલાઈન નંબર

જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લગતી કોઈ સમસ્યા હોય, તો તમારી પાસે હેલ્પલાઈન નંબરો પર વાત કરીને તેનું નિરાકરણ મેળવવાની સુવિધા છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ છે -155261 અને 011-24300606 જે દિલ્હીનો નંબર છે.

પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો સ્ટેટટ આવી રીતે કરો ચેક

  • – તમારે સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર જવાનુ રહેશે
  • – તેમા હોમ પેજ પર તમને Farmers Corner નો ઓપ્શન મળશે
  • – તેના પર ક્લિક કરો અને તેની અંદર Beneficiaries List પર ક્લિક કરો
  • – ડ્રોપ ડાઉનને ક્લિક કરો
  • – હવે તેમા રાજ્ય, જિલ્લા, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોકક અને ગામને સિલેક્ટ કરો
  • – તેના પછી Get Report પર ક્લિક કરો
- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ