Wednesday, September 27, 2023

Buy now

સૌરાષ્ટ્રમાં વધતા જતા ખેતી વ્યાપાર કેન્દ્રો, કૃષિ સ્નાતકો માટે રોજગારીની તકો વધારતી સરકારની એફ.પી.ઓ. યોજના

રાજકોટ જિલ્લામાં ૧૧ એફ.પી.ઓ.માં સી.ઈ.ઓ. નિમાશે: રૂ. ૨૫ હજારનું વેતન અને અન્ય ઈન્સેન્ટિવ મળે છે, ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ ખેડૂતોને બજારનો સીધો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ફાર્મર પ્રોડ્યુસર કંપની ઓર્ગેનાઇઝર બની રહ્યા છે. એફ. પી. ઓ.માં બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં ગામ કે તાલુકાના ખેડૂતો તેમજ.સી.ઈ.ઓ. તરીકે કૃષિ સ્નાતકો અનુસ્નાતકો કે અન્ય સમકક્ષ યુવાનોને નોકરી આપવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં એફ.પી.ઓ. આગામી સમયમાં વધશે એટલે કૃષિ સ્નાતકો માટે રોજગાર લક્ષી નવી તકો ઉપલબ્ધ બનશે. એફ.પી.ઓ.માં સી.ઈ.ઓ.ને રૂ. ૨૫ હજારનું વેતન ઉપરાંત કંપનીના નિયમો મુજબ ઈન્સેન્ટીવ મળવાપાત્ર હોય છે. એફ.પી.ઓ.થી ખેડૂતોને પણ ફાયદો છે. ખેડૂતો એફ.પી.ઓ.માં સભાસદ હોય છે. તે શેર હોલ્ડર તરીકે હોય છે. એફ.પી.ઓ. જથ્થાબંધ ખાતર કે બિયારણ ખરીદી શકે છે. અને બજારના વ્યાજબી ભાવે ખેડૂતોને મળી શકે છે. ખેતર પરથી ખેત ઉત્પાદન વેચી શકે છે. અને એફ.પી.ઓ. મોટી કંપનીને ઉત્પાદન વેચી શકે છે. તેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. આ યોજનામાં એજન્ટ વચ્ચે રહેતા નથી તેથી ખેડૂતોને બજારનો લાભ મળે છે. રાજકોટ જિલ્લામાં ૧૧ એફ.પી.ઓ.માંથી જસદણ અને ગોંડલમાં એફ.પી.ઓ. ચાલુ થઈ ગઈ છે. જયા સીઇઓ નિમવામાં આવ્યા છે. બાકીની ૯ એફ.પી.ઓ. શરૂ થશે.સૌરાષ્ટ્રમાં શાકભાજી, મગફળી, કપાસ, ઘઉં તેમજ મસાલાપાક માટે એફ.પી.ઓ ઉપયોગી બનશે. નાબાર્ડ એફ.પી.ઓ.માં અમલીકરણ એજન્સી છે.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ