Wednesday, June 7, 2023

Buy now

બાગાયતી પાકોનું મુલ્યવર્ધન ટ્રેનિંગ

ફકત બહેનો માટે
ગોકુલનગર મા રહેતા બહેનો માટે બાગાયતી પાકોનું મુલ્યવર્ધન કરી લાંબો સમય કેમ જાળવણી કરવી તેમજ સ્વનિર્ભર થય પોતાનો ગ્રુહ ઉધોગ કરી શકે એવી ટ્રેનિંગ નું બે દિવસ માટે ફરી એક વખત આયોજન કરવાનું છે જેની ટ્રેનિંગ બાગાયત વિભાગના અધિકારી તેમજ તજજ્ઞ વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ટ્રેનિંગ બાગાયતી વિભાગ ના સરકારી કર્મચારી દ્વારા ફ્રિ મા આપવામાં આવશે. જેનો સમય બે દિવસ નો દરોજ ની ત્રણ કલાક રહેશે.
(મુલ્યવર્ધન:- જેમકે ટમેટા નો કેચઅપ બનાવવો, સિઝનલ ફ્રુટ ને ફ્રોજન કરી આખું વર્ષ કઈ રિતે સાચવવું, અલગ અલગ અથાણાં, ચિલી સોસ, કેરીના પાપડ, જામ, જેલી, આમળા નો મુખવાસ, આવું તો ઘણું બધુ શિખવા મળશે.) જે બહેનો બને દિવસ ની ટ્રેનિંગ પુરી કરશે તેમને સરકાર તરફથી સર્ટીફીકેટ પણ મળશે. અને સાથે સ્ટાઇપેંડ પણ મળશે જે સીધા બેન્કમાં જમા થશે.
આ ટ્રેનિંગ મા ઓછા મા ઓછી ૨૦ બહેનો અને વધારે મા વધારે ૫૦ બહેનો જોડાય શકશે.
જે બહેનો જોડાવા માંગતા હોય તે વહેલાં તે પહેલાં ના ધોરણે લેવા મા આવશે.
આમાં જોડાવા માંગતા બહેનો ના નિચે પ્રમાણે ના ડોકયુમેન્ટ ની ઝેરોક્ષ ફરજીયાત જોશે.
(૧) આધાર કાર્ડ ની ઝેરોક્ષ,
(૨) પોતાનીજ ચાલું ખાતાં ની બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ,
(૩) રેશનકાર્ડ ની ઝેરોક્ષ
👆આ ત્રણેય ડોકયુમેન્ટ મા જે બેન ભાગ લેવા માગે છે તેમનું નામ હોવું જરૂરી છે.
(૪) મોબાઈલ નંબર
જોડાવા ઇચ્છતા બહેનોએ વહેલી તકે ડોકયુમેન્ટ જમા કરાવશો.
પ્રોગ્રામ નું સ્થળ:- શ્રી સમસ્ત સતવારા સમાજ, ગોકુલ નગર, રડાર રોડ જામનગર. રહેશે.
તારિખ અને સમય બધા ને અનુકૂળ આવશે તેવો નક્કી કરશું, બધા ની અરજી ઓનલાઈન કરવાની છે જેથી અરજી થય ગયા પછી સમય અને તારિખ ટુક સમયમા નક્કી કરવામાં આવશે.
ઓનલાઈન અરજી પણ ઉપરના ડોકયુમેન્ટ આયવે આયોજક કરી આપશે.

નામ નોંધણી માટે 👇
શ્રી દિનેશભાઇ કટેશિયા – 9904090252 (પ્રમુખ શ્રી સતવારા એકટિવ એજ્યુકેશન ગ્રુપ-ગોકુલનગર),
શ્રી રમિલાબેન કણજારિયા-9722847289 (પ્રમુખ શ્રી સતવારા મહિલા વિકાસ મંડળ- ગોકુલનગર) નો સમ્પર્ક કરવો.

નોધણી કરવાની છેલ્લી તારીખ ૫૦ બહેનો થય જાય ત્યા સુધી છે.
ખાસ નોંધ :- અગાઉ જે બહેનો એ આ ટ્રેનિંગ લિધેલ હોય તે અને તે રેશનકાર્ડ મા આવતાબિજા બહેનો આ ટ્રેનિંગ નહીં લય શકે.
ટૂકમાં એક રેશનકાર્ડ માથી એકજ બહેન ટ્રેનિંગ લય શકે છે. એજ રેશનકાર્ડ માથી જો બિજા બહેનોને ટ્રેનિંગ લેવાની હોય તો ત્રણ વર્ષ પછી જ લય શકે છે. એટલે જેમણે આની પહેલાની ટ્રેનિંગ લીધેલ હોય તેમણે અને તેમના ઘરના ઓએ આ વખતે ફોર્મ ભરવાનું થાતું નથી. ટ્રેનિંગ લેવા આવી શકશે પરંતુ શર્ટિફિકેટ કે સ્ટાઇપેંડ નહીં મળે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ બહેનો આ ટ્રેનિંગ લય શકશે.
ડોકયુમેન્ટ બરાબર વંચાય એવા હોવા જરૂરી છે.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ