Wednesday, December 6, 2023

Buy now

જામનગરમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ, પ્રથમ દિવસે 20 થી 25 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા

  • જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 45 શાળાઓ
  • ધોરણ 6 થી 8ના 5000 વધુ વિદ્યાર્થીઓ છે

જામનગર શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં આજે ગુરૂવારથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્ય બંધ હતું, જે લાંબા સમય બાદ આજથી ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. જામનગરમાં ધોરણ 6 થી 8ના 5000 વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રથમ દિવસે 20 થી 25 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા.

વાલી પાસેથી સંમતિ પત્ર મેળવવો જરૂરી

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરની શરૂઆતથી જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વિદ્યાર્થીઓને અગવડતા પડી હતી. જોકે, હવે ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલી પાસેથી સંમતિ પત્ર મેળવી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

શાળામાં આવતા વિદ્યાર્થીઓને સેનીટાઇઝર, માસ્ક અને ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળામાં પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીઓએ વાલીઓ પાસેથી સંમતિ પત્ર લઇ શાળામાં આપવાનું રહે છે, ત્યારબાદ જ અભ્યાસ માટે શાળામાં પ્રવેશ કરી શકે છે. ત્યારે સરકારની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરી શાળાઓ દ્વારા ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ