Wednesday, December 6, 2023

Buy now

સતવારા કન્યા છાત્રાલય – રાજકોટ ના ઉમદા હેતુ માટે જોરાવરનગર ઝાલાવાડ વિસ્તાર ના 126 ગામના આગેવાનો અને જ્ઞાતિજનોની મિટિંગનું આયોજન સંપન્ન

કન્યા છત્રાલય રાજકોટના ઉમદા હેતુ માટે જોરાવરનગર બોર્ડિંગ માં ઝાલાવાડ વિસ્તાર ના ૧૨૬ ગામના આગેવાનો અને જ્ઞાતિજનોની મિટિંગનું આયોજન તારીખ ૧૩ નવેમ્બર 2021 ના રોજ કરેલ. જેમા , રાજકોટ થી પ્રભુભાઈ નકુમ પ્રમુખશ્રી રાજકોટ સતવારા બોર્ડિંગ, ડી.કે .પરમાર, વિનુભાઈ ગુજરાતી, કૌશિકભાઇ ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, વિનોદભાઈ રાઠોડ, અમુભાઈ પરમાર, પોપટભાઈ પરમાર અને કાળુભાઈ નકુમ એ કન્યા છાત્રાલય આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરવામા આવી. આજરોજ આગેવાનોની મિટીંગ માં ગામ માંથી કન્યા છાત્રાલય બનાવવા તેમજ આપણા સમાજની દીકરીઓની ઉજ્જવળ શૈક્ષણીક કારકિર્દીના ઘડતર માટે આપણી શક્તિ અનુસાર આર્થિક સહયોગ કરવો અને સમસ્ત સતવારા સમાજના જ્ઞાતિબંધુઓ ને આ ભગીરથ કાર્ય માં જોડાવા તેમજ કન્યા છાત્રાલયના નિર્માણમાં વધુને વધુ દાન આપે તેમજ બીજાને દાન આપવા પ્રેરિત કરવા માટે સમસ્ત સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી. આ દરેક જગ્યાએ થી બહોળા પ્રમાણમાં સાથ સહકાર મળેલ છે અને ઘેર ઘેર ફરીને આ કન્યા છાત્રાલય માટે સારો એવો ફાળો કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે .ગામમાં મિટિંગમાં હાજર રહેલ આગેવાનો તેમજ જ્ઞાતિજનોની તસ્વીરી ઝલક

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ